|
|
ગૃહ રક્ષક દળ ભરતી
ગૃહરક્ષક દળમાં સમાજના વિવિધ વર્ગના નાગરિકો ભરતી થઈ કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં પોલીસ દળને મદદરૂપ થાય છે તેમ જ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં વહીવટી તંત્રને મદદરૂપ થાય છે.
ગૃહરક્ષક દળમાં સેવા આપવા ઇચ્છા ધરાવતા સમાજના તમામ વર્ગના કોઈપણ નાગરિક જોડાઈ શકે છે. આ અંગે નીચે દશાવેલી કાર્યપદ્ધતિથી અને લાયકાત ધરાવનારને હોમગાર્ડઝ સભ્ય તરીકે દાખલ કરવામાં આવે છે.
દળમાં ભરતી થવા ઇચ્છિત વ્યક્તિ
- ભારતનો નાગરિક હોવો જોઈએ.
- ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલી ન હોવો જોઈએ.
- તેની ઉંમર ૧૮ વર્ષની હોય અને ૫૦ વર્ષની થઈ ન હોય.
- કોઈપણ ભાષામાં તેણે ધોરણ-૧૦ ની પરીક્ષા પાસ કરી હોય.
- કમાન્ડન્ટ જનરલશ્રીના આદેશો અનુસાર તેની તબીબી તપાસ કરવામાં આવી હોય અને કમાન્ડન્ટના અભિપ્રાય મુજબ તે શારીરિક દ્રષ્ટીએ યોગ્ય હોય.
- હોમગાર્ડઝના સભ્ય તરીકે નીમવા ઇચ્છિત વ્યક્તિએ નમૂનો "ક" માં અરજી કરવી જોઈએ.
- જે વિસ્તારમાં ભરતી થવા ઇચ્છીત વ્યક્તિએ ૨૧ રીક્રુટ પરેડમાં તાલીમ સ્વખર્ચે તથા પોતાના જોખમે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું રહેશે.
- હોમગાર્ડઝના સભ્ય તરીકે પોતાની નિમણૂક થતાં પહેલા દરેક વ્યક્તિએ કમાન્ડન્ટ અથવા તેણે આ હેતુ માટે અધિકૃત કરેલા અધિકારીની સમક્ષ નમૂનો "ખ" પ્રમાણેના પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી કરવી જોઈશે.
- હોમગાર્ડઝના સભ્ય તરીકે નિમાયેલી દરેક વ્યક્તિને નમૂના "ગ" પ્રમાણેનું નિમણૂક પ્રમાણપત્ર મળશે.
હોમગાર્ડઝમાં ભરતી થવા માટેની પુરુષ તથા મહિલા સભ્યની શારીરિક લાયકાત
|
|
|